Monday, December 17, 2012

જનરલ નોલેજની સવારીએ ભારત ભ્રમણ-2

અમરનાથ
-પહેલગાંવ નજીકનું હિંદુનું પવિત્ર ધર્મ સ્થળ
-જમ્મુ - કાશ્મીર રાજયમાં
-13,600 ફૂટની ઉંચાઇ પર
-તીર્થોના તીર્થ તરીકેની ઓળખાણ
-પવિત્ર ગુફામાં બરફથી પ્રાકૃતિક શિવલિંગ-સ્વયંભૂ હિમાની શિવલિંગ પણ કહે છે
કુરૂક્ષેત્ર
-હરીયાણા રાજ્યમાં આવેલું સ્થળ
-મહાભારત કાળનું પૌરાણીક ધર્મક્ષેત્ર અને યુદ્ધક્ષેત્ર
-કુરૂક્ષેત્ર યુનિવર્સિટીનું કેન્દ્ર
-બહ્મ સરોવરનું સ્થાન
ગોમટેશ્વર
-કર્ણાટક રાજ્યમાં હાસન જિલ્લામાં આવેલું તીર્થસ્થળ
-શ્રવણબેલગોડા તરીકે પ્રસિદ્ધ સ્થળ
-2000વર્ષ જુની ભગવાન બાહુબલિની મૂર્તિ
-જૈન ધર્મનું પવિત્ર સ્થળ
નાથદ્વારા
-રાજસ્થાન રાજ્યમાં આવેલું સ્થળ
- વૈષ્ણવોનું ખૂબ જ પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ "વૈષ્ણવોનું હરિદ્વાર"
- શ્રીનાથજીનું ધામ એટલે નાથદ્વારા
-શ્રીનાથજીને ગોવર્ધનનાથજી તરીકે ઓળખાય છે

0 comments: