Saturday, August 11, 2012

ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ

                          ગૌતમ બુદ્ધ
  • બૌદ્ધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુદ્ધ
  • જન્મ:ઇ.સ પૂર્વે 563માં ઉ.બિહારનાં કપિલવસ્તુમાં નેપાળની તળેટીનાં લુબ્મિની નામે વનમાં થયો. 
  • તેમનો જન્મ વૈશાખ પૂર્ણિમાનાં દિવસે થયો. 
  • પિતા: શુધ્દ્દોધન-શાક્ય જાતિનાં વડા હતાં. 
  • માતા:મહામાયાદેવી -જન્મ પછી થોડાજ દિવસમાં અવસાન
  • પાલક માતા:મહા પ્રજાપતિ ગૌતમી તેમની પાલક માતા હતા,તેથી માતાના નામ પરથી તેમનું નામ "ગૌતમ" પડ્યું.
  • મુળ નામ: સિદ્ધાર્થ(ગૌતમ ગોત્રનાં હોવાથી ગૌતમ)
  • શાક્યજાતિનાં હોવાથી "શાક્યસિંહ"કે "શાક્યમૂનિ"તરિકે પણ ઓળખાતાં.
  • બૌધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં "બૌદ્ધ" કહેવાયા.
  • લગ્ન:સિધ્દ્દાર્થના લગ્ન "યશોધરા" સાથે થયાં.જેનાંથી એક પુત્રનો જન્મ થયો.જેનું નામ "રાહુલ" રાખવામાં આવ્યું. 
  • ગૃહત્યાગ:29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો.ગૃહત્યાગનાં પ્રસંગને"મહાભિનિષ્કમણ"કહેવામાં આવે છે.
  • આશરે 7 વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી-બોધીગયામાં પિપળાનાં વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું.જે વૃક્ષને "બૌદ્ધિ વૃક્ષ" તરિકે ઓળખવામાં આવે છે.
  • ઉપદેશ: બુદ્ધે પ્રથમ ઉપદેશ "ઋષિપતન"(સારનાથ)માં આપ્યો. તેમનો પ્રથમ ઉપદેશ"ધર્મચક્ર પ્રવર્તન"તરિકે ઓળખાય છે.45 વર્ષ સુધી ધર્મ ઉપદેશનું કાર્ય કર્યુ.તેમનાં ઉપદેશ વચનો બૌદ્ધ ધર્મનાં ધર્મનાં ધર્મગ્રંથ"ત્રિપિટક"માં સચવાયા છે.
  • અવસાન:80 વર્ષની ઉંમરે "કુશીનારા"માં નિર્વાણ થયું.તેમનુ મૃત્યુ 'બુદ્ધ અતિસાર'(ડાયેરિયા)ની બિમારીથી થયુ.
  • ધર્મપરિષદો 
  • બુદ્ધનાં અવસાન પછી બૌદ્ધ સાધુઓ વચ્ચે સમાનતા સ્થાપવા તથા મતભેદો નિવારવા ધર્મપરિષદો યોજાય.કુલ ચાર પરિષદો યોજાય.
  • પ્રથમ પરિષદ: 
  • મગધનાં રાજા અજાતશત્રુનાં સમયમાં રાજગૃહમાં 
  • મહાકશ્યપનાં પ્રમુખ પદે. 
  • બુદ્ધનાં ઉપદેશોનું સંકલન કરવાંમાં આવ્યું.
  • બીજી પરિષદ : 
  •  મગધનાં રાજા કાલાશોકનાં સમયમાં વૈશાલીમાં 
  • સર્વકામિનીનાં અધ્યક્ષ પદે 
  • બૌદ્ધ સંઘમાં ઉભી થયેલી અશિસ્ત અંગે કડક પગલાં લેવાયા .
  • ત્રીજી પરિષદ: 
  • સમ્રાટ અશોકનાં સમયમાં પાટલિપુત્રમાં 
  • તિષ્યનાં પ્રમુખ પદે યોજાય. 
  • બૌદ્ધ તત્વજ્ઞાન વિશે ચર્ચા 
  • ચોથી પરિષદ: 
  • કનિષ્કનાં સમયમાં કાશ્મિરમાં 
  • પ્રમુખ તરિકે વસુમિત્ર અને ઉપપ્રમુખ તરિકે મહાકવિ અશ્વઘોષ
  • આ પરિષદમાં બૌદ્ધ ધર્મનાં બે ભાગ પડ્યા.(1) હિનયાન અને(2) મહાયાન
  • હિનયાન- બૌદ્ધધર્મનાં મુળ સિધ્ધાંતોને માનતો 
  • મહાયાન- મૂર્તિપુજા અને મંદિરોમાં માનતો
  • બૌદ્ધ સાહિત્ય
  • બૌદ્ધ સાહિત્ય 'પાલી' ભાષામાં લખાયેલું છે. 
  • બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ "ત્રિપિટક" છે, જેનાં ત્રણ વિભાગો છે.-વિનયપિટક,સુત્તપિટક અને અભિધમપિટક 
  • વિનયપિટક-સૌથી પ્રાચિન છે.જેમાં બૌદ્ધ સાધુ-સાધ્વીઓએ પાળવાનાં સદાચાર આપેલા છે.એટલે કે આચારસંહિતા. 
  • સુત્તપિટક-સુત એટલે ઉપદેશ.આ ગ્રંથમાં વ્યાખાનો અને  ઉપદેશો છે. 
  • અભિધમપિટક- બૌદ્ધધર્મનાં સિધ્ધાંતો અંગે ચર્ચા છે.

0 comments: