Wednesday, September 19, 2012

વ્યક્તિ અને તેમની ઉક્તિઓ

મહાન વ્યક્તિઓના- મહા સૂત્ર 
‘‘મારા જેવા અલ્‍પાત્‍માને માપવા સારુ સત્‍યનો ગજ કદી ટૂંકો ન બનો.’’ – મહાત્‍મા ગાંધી
‘‘જેહના ભાગ્‍યમાં જે સમે જે લખ્‍યું તેહને તે સમે તે જ પહોંચે. ’’ – નરસિંહ મહેતા
‘‘બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે. ’’ – ટીપુ સુલતાન
‘‘ઝાડના થડને કાપી નાખો, ડાળાં આપોઆપ તૂટી પડશે. ’’ – બાજીરાવ પહેલો
‘‘ઊઠો, જાગો અને ધ્‍યેયપ્રાપ્‍તી સુધી મંડયા રહો. ’’ – સ્‍વામી વિવેકાનંદ
‘‘તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્‍હેં આઝાદી ર્દૂંગા. ’’ – સુભાષચંદ્ર બોઝ
‘‘સ્‍વરાજ મારો જન્‍મસિદ્ઘ હક છે અને તેના પ્રાપ્‍ત કરીને જ હું જંપીશ. ’’ – બાળ ગંગાધર ટિળક
‘‘હું માનવી માનવ થાઉ તોય ઘણું. ’’ – સુન્‍દરમ્
‘‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્‍યાં ત્યાં સદાકાળ ગુજરાત. ’’ – ખબરદાર
‘‘ જય જગત. ’’ – વિનોબા ભાવે
‘‘કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્‍પ નથી. ’’ – ઇન્દિરા ગાંધી
‘‘મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો. ’’ – નરસિંહરાવ દિવેટિયા
‘‘સારે જર્હાં સે અચ્‍છા હિંદોસ્‍તા હમારા. ’’ – ઇકબાલ
‘‘ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શૂર. ’’ – અખો
‘‘વૈષ્‍ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે. ’’ – નરસિંહ મહેતા
‘‘મેરે તો ગિરિધર ગોપાળ દૂસરો ન કોઇ. ’’ – મીરાંબાઇ
‘‘એક મૂરખને એવી ટેવ પથ્‍થર એટલા પૂજે દેવ. ’’ – અખો
‘‘આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે. ’’ – નરસિંહરાવ દિવેટિયા
‘‘છે વૈધવ્‍યે વધુ વિમલતા બહેન સૌભાગ્‍યથી કંઇ. ’’ – કલાપી
‘‘અસત્‍યો માંહેથી પ્રભુ પરમ સત્‍યે તું લઇ જા. ’’ – ન્‍હાનાલાલ
‘‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ’’ – બોટાદકર
‘‘મારે મન ઇશ્ર્વર એ સત્‍ય છે અને સત્‍ય એ જ ઇશ્ર્વર છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘રામ રમકડું જડિયું રે રાણાજી મને રામ રમકડું જડિયું. ’’ – મીરાંબાઇ
‘‘સૌન્‍દર્યો પામતાં પહેલાં સૌન્‍દર્ય બનવું પડે. ’’ – કલાપી
‘‘કંઇ લાખો નિરાશામાં અમર આશા છુપાઇ છે. ’’ – બાળાશંકર
‘‘હા, પસ્‍તાવો વિપુલ ઝરણું સ્‍વર્ગથી ઊતર્યું છે. ’’ કલાપી
‘‘પ્રેમળ જયોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ. ’’ – નરસિંહરાવ
‘‘આરામ હરામ હૈ. ’’ – પંડિત જવાહરલાલ નહેરુ
‘‘જય જવાન, જય કિસાન’’ -� લાલબહાદુર શાસ્‍ત્રી
‘‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન’’ – અટલબિહારી વાજપેયી
‘‘સત્‍ય અને અહિસા મારા ભગવાન છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘ચલો દિલ્‍લી’’ – સુભાષચંદ્ર બોઝ
‘‘દીવાને ઝળહળતો રાખવા તેમાં તેલ નાખતા રહેવું પડે છે. ’’ – મધર ટેરેસા
‘‘દરેક બાળક એવો સંદેશો લઇને આવે છે કે ભગવાન હજુ માણસથી નિરાશ નથી થયા. ’’ – રવીન્‍દ્રનાથ ટાગોર
‘‘હું ફકત મારા અંતરાત્‍માને ખુશ રાખવા માંગું છું કે જે ભગવાન છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોની ટીકા એ તો સમાજની જાગૃતિની નિશાની છે. ’’ – જવાહરલાલ નહેરુ
‘‘જીવન દરમિયાન� મારા પ્રશંસકો કરતાં મારા ટીકાકારો પાસેથી મેં વધુ પ્રાપ્‍ત કર્યું છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ એ અંત નથી કે અડચણ નથી પરંતુ નવા પગથિયાઓની નવી શરૂઆત છે. ’’ – ડૉ. રાધાકૃષ્‍ણન્
‘‘માણસના વિકાસ માટે જીવન જેટલું જ જરૂરી મૃત્‍યુ છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘મૃત્‍યુ વિના જીવન સંભવ નથી. ’’ – કૃષ્‍ણચંદ્ર
‘‘લોકશાહી પ્રત્‍યે મને ખૂબ આદરભાવ અને પ્રેમભાવ હોવા છતાં હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતી જ હંમેશા સાચી હોય છે. ’’ – જવાહરલાલ નહેરુ
‘‘જયાં ડર નથી, ત્‍યાં ધર્મ નથી. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘ચાલો આપણે ભગવાનથી ગભરાઇને અને માણસથી ગભરાવાનું બંધ કરીએ. ’’ – મહાત્મા ગાંધી
‘‘ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે. ’’ – મહાત્‍મા ગાંધી
‘‘જે સ્‍વતંત્ર છે એ જ બીજાને સ્‍વતંત્રતા આપી શકે છે. ’’ – શ્રી અરવીંદ ઘોષ
‘‘જયારે આપણાં મન ખાલી હોય છે ત્‍યારે આપણે વસ્‍તુઓનો સંગ્રહ કરીએ છીએ. ’’ – જે. કૃષ્‍ણમૂર્તિ
‘‘જ્ઞાન એકતા તરફ અને અજ્ઞાન ભિન્‍નતા તરફ લઇ જાય છે. ’’ -� રામકૃષ્‍ણ
‘‘જયારે તમે અનુભવો છો કે તમે કંઇ પણ જાણતા નથી ત્‍યારે તમે શીખવા માટે તૈયાર થાઓ છો. ’’ – મધર ટેરેસા
‘‘દર્શન, ધર્મ અને વિજ્ઞાન એ ત્રણેના સમાયોગથી જ માનવી પરિપૂર્ણ બને છે. ’’ – આચાર્ય રજનીશ
‘‘આપણા દેશમાં આપણું રાજય’’ – મદનમોહન માલવિયા
‘‘ગરીબી હટાવો’’ – ઇન્દિરા ગાંધી

0 comments: