Thursday, October 11, 2012

જાદુગરીનો બાદશાહ-કે.લાલ

જનરલ નોલેજ-જાદુગર કે.લાલ   
કે. લાલ ભારત દેશનાં એક મહાન જાદુગર છે, જેઓ ગુજરાતી હોવાને નાતે ગુજરાતનું ગૌરવ સમાન છે. તેઓનો જન્મ ૧૭ જાન્યુઆરી૧૯૨૪ના રોજ થયો હતો. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત સૌરાષ્ટ્રવિસ્તારના જુનાગઢ પાસેના વંથલી ગામે ૧૬ વર્ષની કિશોરવયે સૌ પ્રથમ જાદુનો ખેલ કરીને કરી હતી.
કે. લાલનું મૂળ નામ કાંતિલાલ વોરા છે, તેઓનો જન્મ બગસરા ગામમાં થયો હતો. તેમના દાદા નગરશેઠ હોવાને નાતે કલાના પુજારીઓ તેમને આંગણે હર હંમેશ ઉતારા નાંખતા. ૩૦ના દાયકામાં તેમાનાં કુટુંબ સાથે તેઓ કલકત્તા સ્થાયી થયા, જ્યાં તેમના પિતાએ કાપડનો વ્યવસાય શરૂ કર્યો હતો. બંગાળ કે જે ભારતમાં જાદુનું પાટનગર ગણાય છે, તેનું પાટનગર કલકત્તા બાળ કે.લાલને જાદુ શીખવાનો માર્ગ મોકળો કરી આપવા તેમાના જીવનમાં આવ્યું જ્યાં તેમની મુલાકાત તે સમયનાં મહાન જાદુગર ગણપતી ચક્રવર્તી સાથે થઈ, અને તેઓએ કાંતિલાલને પોતાના શિષ્ય તરિકે સ્વિકાર્યા.

 1947 માં કલકત્તામાં જાદુગરોના અધિવેશનમાં ફક્ત 22 વર્ષની ઉમ્મરે કે લાલે કહ્યું હતું કે      ”તમેગુજરાતી વિશે મહેણાં મારો છો, પણ લખી રાખજો કે, એક ગુજરાતી જે ક્ષેત્રમાં પગ મૂકે છે તેમાં સર્વોપરી બને છે. અને તે વાત હું સાબિત કરીને બતાવીશ.”
નામ
કાંતિલાલ ગિરધરલાલ વોરા
ઉપનામ
કે. લાલ
જન્મ
1925; બગસરા – અમરેલી જિ.
કુટુમ્બ
દાદા – બગસરા ગામના નગરશેઠ; પિતા – ગિરધરલાલ ; પત્ની – પુષ્પા ; પુત્ર – હસમુખ ( જુનીયર કે. લાલ )
વ્યવસાય
જાદુગર
જીવન ઝરમર
મદારીઓ અને નાના જાદુગરો પર પહેલેથી પ્રેમ; તેમની પાસેથી જાદુના નાના પ્રયોગો બાળપણમાં શીખ્યા; 1931 – કાકાને ઘેર કલકત્તા વસવાટ; બંગાળના જાણીતા જાદુગર ગણપતિ ચક્રવર્તી તેમના ગુરૂ; 1939- વિશ્વ યુધ્ધ ફાટી નીકળતાં બગસરા પાછા; 1940- વંથળી એક જાનમાં જતાં અડધો કલાક જાદુનો પ્રયોગ કર્યો, લોકોને ગમ્યો પણ કુટુંબ અને સમાજમાં ‘ કાંતિયો સ્મશાનમાં જઇ કાળો જાદુ શીખી લાવ્યો છે’ તેવી નામોશી મળી; 1943- કલકત્તા પાછા સ્થળાંતર; ગીતાકુમાર નામના જાદુગર પાસેથી જાદુના શો કરવાનું શીખ્યા; 1947- શ્યામબજાર , કલકત્તામાં જાદુગરોના અધિવશનમાં અપમાન થતાં ઉપરના શબ્દો ઉચ્ચાર્યા અને જીવન જાદુને સમર્પિત; 1951- રોક્સી થીયેટર , કલકત્તામાં 200 જાદુગરોને આમંત્રણ આપી, અડધા કલાકના જાદુના શોનો રિવાજ છોડી ત્રણ કલાકનો પૂર્ણ ભારતીય પહેરવેશ સાથે અને અવનવી લાઇટીંગ અને સાઉન્ડ સીસ્ટમ સાથે પ્રયોગ કર્યો ; જાદુના શોનું ભારતીયકરણ કરનાર પહેલા જાદુગર; અત્યારે જાદુમાં કોમ્પ્યુટર વાપરવાની કળા પણ હસ્તગત ; 60 વર્ષમાં 18,000 થી વધુ જાદુના શો કર્યા છે; જાદુ વિદ્યાના 10,000 થી વધુ પુસ્તકોનું અંગત પુસ્તકાલય; 45 માણસોના સ્ટાફ સાથે દિવસના 18 કલાક કામ કરેલ છે; ગુજરાતી સહિત્યકાર ‘જયભિખ્ખુ ‘ – પ્રેરણા ગુરૂ
સન્માન
જાપાન સરકારનો સર્વોચ્ચ ગણાતો ‘સાકી’ ખિતાબ ; જુદા જુદા દેશના 250 થી વધુ એવોર્ડ મળ્યા છે; 1968 – અમેરીકામાં ’ઇ ન્ટરનેશનલ બ્યુરો ઓફ મેજીશીયન્સ’ તરફથી દુનિયાના સૌથી મહાન અને ઝડપી જાદુગર તરીકેનો એવોર્ડ

0 comments: