સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટેની દિશાસૂચક બ્લોગ દુનિયા

ઉઠો,જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો-સ્વામિ વિવેકાનંદ

Sunday, December 30, 2012

વિદાય લેતું-2012

2012 નો પ્રસંગપટ-જનરલ નોલેજ(સપ્ટેમ્બર થી ડીસેમ્બર)  સપ્ટેમ્બર   અમેરિકી અખબાર વૉશિંગ્ટન પોસ્ટે મનમોહનસિંઘને નિષ્ફળ વડાપ્રધાન તરીકે ભલે રજૂ કર્યા પણ મનમોહનસિંઘે બહુ મક્કમતાપૂર્વક આર્થિક નિર્ણયો લઈને સૌને ચોંકાવી દીધા ! વિરોધ પક્ષોના નિશ્ચિત વિરોધ અને ધમકીઓને અવગણીને દેશી બજારમાં વિદેશી કંપનીઓને 'એફ.ડી.આઇ.' દ્વારા પ્રવેશ આપવાનો નિર્ણય લીધો. વિકાસ જોઈએ છે તો સાહસ અને જોખમ માટે તૈયાર રહો તેમ કહ્યું. 'પૈસા કાંઈ ઝાડ પર ઉગતા નથી ! હજુ કડક નિર્ણયો લેવા પડશે, મને સાથ આપો.' મમતાએ યુપીએ સાથે છેડો ફાડયો. તૃણમૂલના છ પ્રધાનોએ રાજીનામા...

વિદાય લેતું-2012

2012 નો પ્રસંગપટ-જનરલ નોલેજ(મે થી ઑગસ્ટ)  મે ધોમ ધગતો મે મહિનો, ગરમી ઉપરાંત ભાવવધારો, પેટ્રોલ, સોનું અને ડોલરના અસહ્ય તાપમાનથી દઝાડનારો રહ્યો. પેટ્રોલમાં સાડા સાત રૃપિયાનો વધારો સાડા સાતી પનોતી રૃપ રહ્યો. માસાન્તે ''ભારત બંધ'' રહ્યું. ભાજપની રાષ્ટ્રીય કારોબારી સમિતિમાંથી, મોદીના જીદે સંજય જોશીને રાજીનામું આપવું પડયું. કર્ણાટકમાં ભાજપની સૌપ્રથમ રચાયેલી સરકારના મુખ્ય મંત્રી સામે કૌભાંડના આક્ષેપો થતાં યેદીયુરપ્પાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું. નાણા મંત્રી પ્રણવ મુખરજીએ કાળા નાણાં અંગે શ્વેતપત્ર રજુ કર્યું. યુ.પી.એ.-૨ સરકારના ત્રણ વર્ષ...

વિદાય લેતું-2012

2012 નો પ્રસંગપટ-જનરલ નોલેજ(જાન્યુઆરી થી એપ્રિલ) - જાન્યુઆરી  નૂતન વર્ષનો સુવર્ણમય પ્રારંભ સોનાના હોલમાર્કિંગના ફરજીયાતપણાથી થયો, તો.. નવા વર્ષના ગુલાબી પ્રભાતે જયપુરના ગુલાબી વાતાવરણમાં પ્રવાસી ભારતીય સંમેલન અને સાહિત્ય મહોત્સવ યોજાયો. સાહિત્ય મહોત્સવ ઓપ્રા વિનફ્રે, ગુલઝાર, પ્રસુન્ન જોશી, વિગેરેની ઉપસ્થિતિથી મહેંકી ઊઠયો તો- સલમાન રશ્દીના પ્રશ્ને થોડો ચર્ચાસ્પદ પણ રહ્યો. ૯૯માં સંમેલનમાં 'તુલસી રેડિયેશનની સારવાર'ની ચર્ચા થઇ. ચૂંટણીપંચે જ્યાં વિધાનસભાની ચૂંટણી થવાની છે તે પાંચ રાજ્યોમાં લઘુમતી અનામત મોકુફ રાખવાનો આદેશ આપ્યો. ઉત્તરપ્રદેશમાં...

Saturday, December 29, 2012

રેકોર્ડો-ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર એટલે રેકોર્ડોનો બાદશાહ, તેને ક્રિકેટનો લોકો ભગવાન માને છે. સચિન તેંડુલકરે પોતાના ક્રિકેટ કેરીયરમાં અવનવા રેકોર્ડ બનાવ્યાં છે જેને તોડવા કોઈ પ્લેયર માટે સહેલા નથી. તો આવા જ તેના રેકોર્ડ વિશે થોડું જાણીએ.  સચિનના રેકોર્ડ  : સૌથી વધુ વન-ડે (૪૬૩)  : સૌથી વધુ વન-ડે રન (૧૮,૪૪૬)  : સૌથી વધુ સદી (૪૯)  : સૌથી વધુ અડધી સદી (૯૬)  : સૌથી વધુ ફોર (૨,૦૧૬)  : વન-ડે ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી  : વન-ડેમાં ૧૦ હજાર રન બનાવનાર પ્રથમ ક્રિકેટર  : વન-ડેમાં...

સચિન તેદુંલકરની ક્રિકેટ કારકિર્દી

આખું નામ સચિન તેંડુલકર (Sachin Tendulkar)            જન્મ તારીખ 24 એપ્રિલ 1973 મુખ્ય ટીમ ભારત,એશિયા ક્સી,મુંબઈ,મુંબઈ ઇન્ડિયન્સ,યોર્કશાયર ...

ક્રિકેટની એક કિતાબ-સચિન તેદુંલકર

સચિન તેદુંલકરે વન્ડે ક્રિકેટમાંથી  સંન્યાસની ઘોષણા કરી,તે વાતથી મારુ હ્રદય દ્રવિ ઉઠયું.કેમકે ક્રિકેટનો ક્રેજ મારી જિંદગીમાં સચિન તેદુંલકરથી શરૂ થાય છે.આંમ તો હું એ સમયે દસ વરસનો,જ્યારે મારા ખસ ગામનાં ગલ્લાના ઓટા પર બેઠેલાં જુવાનિયાઓ ક્રિકેટની વાતું કરે,અને એમાં વારંવાર સચિન શબ્દ સાંભળવાં મળે.મને પણ આ નામની જિજ્ઞાસા જાગી,ને એક દિવસ પડોશીને ત્યાં મેચ જોવા બેસી ગયો.તે દિવસે સચિનને જોયા પછી મને મેચ જોવાનું વ્યસન થઇ ગયું,અને દિલથી સચિન સાથે...

Sunday, December 23, 2012

ભારતનો પ્રાચિન પર્વત- અરવલ્લી

વિશ્વમાં અરવલ્લીની પર્વતમાળા સૌથી પ્રાચીન પર્વતમાળા છે.અરવલ્લીનો અર્થ થાય છે"શિખરોની હારમાળા".આ પર્વતીય શ્રેણી પશ્રિમ ભારત અને પૂર્વ પાકિસ્તાનમાં લગભગ 800 કી.મી વિસ્તારમાં ફેલાયેલી છે.ભારતમાં રાજસ્થાન,હરીયાણા અને ગુજરાત તેમજ પાકિસ્તાનમાં પંજાબ અને સિંધ રાજયોમાં સ્થિત છે.અરવલ્લી શ્રેણી રાજસ્થાન રાજયને ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગમાં વંહેચે છે. અરવલ્લીનું સૌથી ઉંચુ શિખર ગુરુશિખર છે,જે રાજસ્થાનનાં સિરોહી જિલ્લામાં માઉન્ટ આબુમાં આવેલું છે.અરવલ્લી પર્વતનો 80% ભાગ એકલા રાજસ્થાનમાં છે.આ પર્વત શ્રેણીનો ઉત્તર છેડો હરીયાણા, દિલ્લીમાં છે.દિલ્લીમાં આવેલી...

Thursday, December 20, 2012

જનરલ નોલેજ- પ્રશ્નમાળા

પ્રશ્નમાળા નં:13  301.દેલવાડાના દેરાઓ ક્યા આવેલાં છે? માઉન્ટ આબુ 302.સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર કોણ હતાં? લોર્ડ માઉન્ટબેટન 303.ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ 304.પાણિની શેનાં પ્રખ્યાત વિદ્વાન હતાં? સંસ્કૃત વ્યાકરણ 305."ક્લોનિંગ" શબ્દ શેની સાથે જોડાયેલો છે? જનીન વિદ્યા 306.ઊડી શકતું સૌથી ભારે પક્ષી કયુ છે? બસ્ટર્ડ 307.ભારતનું સૌથી પ્રાચીન સંગીતવાદ્ય કયુ છે? વાંસળી 308.ભારતના વડાપ્રધાનનો પગાર અને ભથ્થાં કોના દ્વારા નક્કી થાય છે? સંસદ 309.રાજ્યસભામાં નિમણૂક પામેલાં સૌપ્રથમ ફિલ્મ કલાકાર કોણ હતાં? પૃથ્વીરાજ કપુર 310.ઉપનિષદો...